સરદાર પટેલ કર્મચારી મંડળ રાજકોટના ખજાનચી અને આર.ડી.સી. બેંક મવડી રોડ શાખાના મેનેજર શ્રી ભાવેશભાઇ જે. ભૂવા નું તારીખ 12-12-24 નાં રોજ સાંજે હાર્ટ એટેકથી દુઃખદ અવસાન થયેલ છે. મંડળે એક મહેનતું, કર્મનિષ્ઠ અને સરળ કારોબારી સભ્યને ગુમાવ્યા છે, તેમણે નાની ઉંમર માં ખૂબ મહેનત કરી તેમની ઓફિસ અને મંડળમાં ખૂબ નામના મેળવી હતી, આ દુઃખદ ઘટના માની શકાય તેવી નથી પણ હરિ ઇચ્છા બળવાન.. તે હવે આપણી વચ્ચે નથી તેનું બધાને અનહદ દુઃખ છે. પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ આપે અને તેમના પરિવાર પર વજ્રઘાત સમાન આવી પડેલ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરીયે.
ઓમ શાંતિ શાંતિ શાંતિ 🙏
પ્રમુખ મંત્રી
કુમનભાઈ વરસાણી
મંત્રી
જયેશભાઈ દુધાત્રા